Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અંબા અભય પદ દાયની રે... શ્યામા સાંભળજો સાદ ભીડભંજની

રાજકોટ : શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ચોક ગરબી મંડળ ૩૯ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ હરીચરણદાસ બાપુના શિષ્ય શ્રી શ્યામસુંદરજી મહારાજના હસ્તે દિપ પ્રાગટય કરીને નવરાત્રીનો શુભ પ્રારંભ કરેલ. આ તકે કૌશીકભાઇ શાસ્ત્રી તથા જગદીશભાઇ શાસ્ત્રી દ્વારા આશિર્વચન પાઠવેલ. શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ગરબી મંડળના મુખ્ય રાસોમાં માડી તારા અઘોર નગારા વાગે રાસ, મોગલ માઁ નો મેળો, બેડા રાસ, રામ રોટી, ૨૧૫ દિવડા રાસ વગેરે છે. જેને ભારે આકર્ષણ જમાવ્યું છે. ગરબીના ગાયક અજયભાઇ આહિર, પ્રાચીબેન જાદવ, પુનમબેન ગોંડલિયા, વિશાલ વરૂ, ઢોલક યશ તન્ના, સંજય ગોહેલ, બેન્જો ભીખાભાઇ માંડલિયા, મંજીરાના માણીગર પંકજભાઇ ડોબરીયા સેવા આપે છે.

શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ચોક ગરબી મંડળ પ્રમુખ કિરીટભાઇ પાંધીના નેતૃત્વ હેઠળ નિતીનભાઇ પાંધી, જીતુભાઇ ગોહેલ, રાજુભાઇ પરમાર, કિશનભાઇ પાંધી, નિલેશભાઇ ગજ્જર, મિતેષભાઇ ગજ્જર, સુનિલભાઇ ગજ્જર, વિરેન ગજ્જર, હાર્દિકભાઇ અગ્રાવત, ધવલ અજમેરીયા, ક્રિપાલસિંહ સોલંકી, મનીષભાઇ રાજાણી, મનોજ સોની, ભરતભાઇ પુજારા, દિપક ગોહેલ, યોગેશભાઇ પટેલ, હસુભાઇ વાઢેર, પ્રદિપભાઇ રાણપરા, હરીશભાઇ પુજારા, હિસીતભાઇ પુજારા, શૈલેષભાઇ માંડવીયા, ઉમેશ ઝડપીયા વગેરે બીજા ૧૦૮ કાર્યકર્તા અંબિકા ટ્રસ્ટ ગરબી મંડળ સાથે સાથ અને સહકાર દેવા માટે જોડાયેલ છે અને નિસ્વાર્થ પણે કાર્યરત રહે છે.

(3:09 pm IST)