Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જન આશિર્વાદ યાત્રાનાં માધ્યમથી ભાજપ સરકારની લોક કલ્યાણ યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવાની નેમઃ જીતુભાઈ વાઘાણી

રાજકોટ, તા. ૮ :. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  તેમજ ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે  અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ 'જન આશિર્વાદ યાત્રા'નું આયોજન કરાયેલ હોય તે અંતર્ગત રાજકોટ ખાતે રાજયના શિક્ષણ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની 'જન આશિર્વાદ યાત્રા' માધાપર ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સાથે પ્રારંભ થયો હતો, આ તકે માધાપર ચોકડી ખાતે કાર્યકર્તાઓ અને શહેરીજનોનોની વિશાળ ઉપસ્થિતિમાં    યાત્રાનું     ઢોલ, શરણાઈ, બેન્ડની સુરાવલિઓ, ડી.જે. અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,  પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ,   શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા,  ડે. મેયર

ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિહ વાળા, સહીતના અગ્રણીઓ ઘ્વારા કેબીનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું. અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને જનમેદની ઘ્વારા વંદે માતરમભ અને ભારત માતા કી જય..ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.આ તકે કેબીનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ શહેર ભાજપ ઘ્વારા થયેલ ભવ્ય સ્વાગત બદલ કમલેશ મિરાણી તેમજ ટીમ ભાજપ તેમજ શહેરીજનોનો આભાર વ્યકત કરતા જણાવેલ કે કેન્દ્ર અને રાજયની ભાજપા સરકારની અનેક લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓ થકી દેશ વિકાસ તરફ આગેકૂચ કરી રહયો છે ત્યારે ભજન આશિર્વાદ યાત્રાભ ના માઘ્યમથી ભાજપા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ ઘર–ઘર સુધી પહોંચે તે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે.

 ત્યારબાદ 'જન આશિર્વાદ યાત્રા' અયોઘ્યા ચોક ખાતે રમતગમત સેલ ઘ્વારા, શીતલ પાર્ક ચોક ખાતે વોર્ડ–ર ઘ્વારા, નાણાવટી ચોક ખાતે વોર્ડ–૧ ઘ્વારા, રૈયા ચોકડી ખાતે વોર્ડ–૯ તથા માલધારી સેલ ઘ્વારા ત્રીમુર્તિ બાલાજી મંદિર ખાતે જલારામ સેવા સમિતિ, ત્રીમુર્તી બાલાજી મંદીર પરીવાર તથા બ્રહમાકુમારી પરીવાર ઘ્વારા, ૧પ૦ ફુટ રીંગ રોડ, ઈન્દીરા સર્કલ ખાતે કલબ યુવી અને ગૌ સવંર્ધન સેલ ઘ્વારા, કે.કે.વી. સર્કલ ખાતે વોર્ડ–૧૦ અને ડોકટર સેલ ઘ્વારા, નાનામવા ચોકડી ખાતે વોર્ડ–૮ અને સાંસ્કૃતીક સેલ ઘ્વારા, બાલાજી સર્કલ ખાતે જય માડી ગ્રુપ ઘ્વારા, ઓમનગર સર્કલ ખાતે વાટલીયા પ્રજાપતી સમાજ ઘ્વારા, આત્મીય ક્રેડીટ કો.ઓપ.હા. સોસા. ખાતે મંડળી ઘ્વારા, મવડી ચોકડી ખાતે વોર્ડ–૧ર અને વ્યવસાયીક સેલ ઘ્વારા  ,રાજુભાઈ બોરીચાની ઓફીસ ખાતે વોર્ડ–૧૧ ઘ્વારા, વિશ્વેશ્વર મહાદેવ મંદીર ખાતે સહકાર ગ્રુપ અને બલદેવ ગ્રુપ ઘ્વારા, ફુલીયા હનુમાન મંદીર ખાતે વ્યાપાર સેલ ઘ્વારા, ખાદીભવન ચોક ખાતે સમન્વય ખાદી ભંડાર ઘ્વારા, સરોજીની નાયડુ સ્કુલ ચોક ખાતે ઘ્વારકેશ ગ્રુપ  અને ધોળકીયા સ્કુલ ઘ્વારા ,સ્વામી નારાયણ ચોક ખાતે

વોર્ડ–૧૩ અને આર્થિક સેલ ઘ્વારા ,લોધેશ્વર ચોક ખાતે સર્વોદય સ્કુલ, પંચશીલ સ્કુલ, શ્રઘ્ધા સ્કુલ ઘ્વારા, પીડીએમ કોલેજ ખાતે પીડીએમ કોલેજ પરીવાર ઘ્વારા, નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ–૧૮ ઘ્વારા, ત્રીશુલ ચોક ખાતે વોર્ડ–૧૭ અને સાધુ–સંતો ઘ્વારા, જીવરાજ હોસ્પિટલ ચોક ખાતે જીવરાજ ગ્રુપ, સહકાર સેલ અને પરશુરામ યુવા ગ્રુપ ઘ્વારા,જલારામ ચોક ખાતે વોર્ડ–૧૪ ઘ્વારા, ભકિતનગર સર્કલ ખાતે ધારેશ્વર મહોત્સવ સમિતિ, શ્રી ભકિતનગર કો.ઓ.હા.સોસા.લી., શ્રી ઉછરંગનગર કો.ઓ.હા.સો.લી., ઘ્વારા,વર્ષા પાન ચોક પાસે બોલબાલા પરીવાર, બૌઘ્ધિક સેલ ઘ્વારા, કાન્તા સ્ત્રી વિકાસ ચોક ખાતે શિક્ષણ સેલ ઘ્વારા ,ઢેબર રોડ ખાતે શ્રી દશા સોરઠીયા વણીક જ્ઞાતિ સમાજ મહાજન ,શ્રી માલવીયા વાડી ઘ્વારા, ભુતખાના ચોક ખાતે વોર્ડ–૭ અને લીગલ સેલ ઘ્વારા, કાપડ મીલ પાસે કિશોરસિહજી મેઈન રોડ ખાતે લઘુમતી મોરચા ઘ્વારા , મઢુલી ચોક  ખાતે વીલ્સન ગ્રુપ, કરણપરા પ્રહલાદ પ્લોટ વેપારી એશોશીએશન ઘ્વારા અને અંતે  કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ કાર્યાલય પરીવાર ઘ્વારા ભવ્ય સ્વાગત થયા બાદ યાત્રાનું વાજતે–ગાજતે સમાપન થયેલ હતું.

રાજકોટ ખાતે જીતુભાઈ વાઘાણીની 'જન આશિર્વાદ યાત્રા' ને સફળ બનાવવા માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જનાર તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ શહેરીજનોનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જાહેર આભાર વ્યકત કર્યો હતો.

(3:36 pm IST)