Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ચંદ્રકાન્તભાઇ શેઠની ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘમાં ટ્રસ્ટી તરીકે વરણી : સવા લાખનું અનુદાન સંઘને અર્પણ

રાજકોટ,તા.૮ : વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંતભાઈ શેઠની તા.૫ ના રોજ ગોંડલ સંઘમાં ટ્રસ્ટી તરીકે નિયુકિત થવા બદલ ચોતરફથી અભિનંદન મળી રહ્યાં છે. ગોંડલ સંઘની સેવા - વૈયાવચ્ચ અજોડ છે,તેમાં સી એમ શેઠ પણ તન,મન,ધનથી સૌને સાથે રાખી ચતુર્વિધ સંઘની બેજોડ સેવા પ્રદાન કરશે.

ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રે અનેરુ યોગદાન આપી રહેલા ગોંડલના પનોતા પુત્ર રત્ન ચંદ્રકાન્તભાઈ શેઠ (મો.૯૮૨૪૦ ૪૩૭૬૯) ની ગોંડલ સંપ્રદાયના વડા મથક ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘમાં ટ્રસ્ટી તરીકે વરણી થયેલ છે તે રાજકોટ માટે પણ ગૌરવની ક્ષણ છે.

(3:07 pm IST)