Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વહાલુડીના વિવાહ - ૪ની મહિલા ટીમના સભ્યો દ્વારા આમંત્રણ

રાજકોટ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દિપચંદભાઈ ગાર્ડી વૃદ્ધાશ્રમ અને સ્વ.હિરાભાઈ જીવાભાઈ તળાવીયા, ગં.સ્વ. શાંતાબેન હિરાભાઈ તળાવીયાના સંયુકત ઉપક્રમે સતત ચોથા વર્ષે માતા - પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર દિકરીઓનો ભવ્ય લગ્નોત્સવ આગામી તા. ૨૬ ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યો છે. ત્યારે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની મહિલા ટીમના સભ્યો 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને સ્નેહભર્યુ આમંત્રણ આપતા સંસ્થાના ટ્રસ્ટી નલીન તન્ના તેમજ ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, કૌશિકાબેન કલ્યાણી, ગીતાબેન એ. પટેલ, આશાબેન હરીયાણી, અલ્કાબેન પારેખ, દીનાબેન મોદી, રૂપાબેન વોરા જોડાયા હતા.

(3:13 pm IST)