Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

૨૫મીએ સોનલ બીજ મહોત્‍સવઃ શોભાયાત્રા-લોકડાયરો-સન્‍માન

સમસ્‍ત ચારણ ગઢવી સમાજ દ્વારા બે દિવસીય કાર્યક્રમોઃ ૨૪મીએ આઇશ્રી સોનલ સંભારણા લોકડાયરો-૯૦ વિદ્યાર્થીઓનું સન્‍માન : ૨૫મીએ શોભાયાત્રા નિકળશે, મહાઆરતી, જ્ઞાતિના અધિકારીઓનું સન્‍માન

રાજકોટઃ પ.પૂ.આઇશ્રી સોનલ માતાજીનો જન્‍મોત્‍સવ આવી રહ્યો છે. આ અંતર્ગત શોભાયાત્રા, સન્‍માન, લોકડાયરાનુ આયોજન કરવામાં આવેલ છે. ૨૪ મીએ ૮૦ થી ૯૦ જેટલા વિદ્યાર્થીઓનું તેમજ ૨૫મીએ સમાજના શ્રેષ્‍ઠીઓ, અધિકારીઓનું  સન્‍માન કરવામાં આવશે.

આગામી ૨૪ ના રોજ પૂર્વ સંધ્‍યાએ પરમ વંદનીય આઇશ્રી સોનલ સંભારણા લોક ડાયરો તેમજ જ્ઞાતિજનોના તેજસ્‍વી છાત્રો- છાત્રાઓ તેમજ અધિકારીઓના સન્‍માન બાદ ભવ્‍ય શોભાયાત્રા તેમજ મહાઆરતી, બાદમાં ચારણ ગઢવી સમાજના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરવામાં આવશે. ત્‍યારબાદ બપોરના ૧૨ કલાકે મહાપ્રસાદનું સમગ્ર ચારણ સમાજ માટે આયોજન કરેલ છે.

છેલ્લા ૩૦ વર્ષથી ખોડીયારનગર, ગોંડલ રોડ ખાતે દર વર્ષે પ્રાઃ સ્‍મરણીય પરમ પૂજય આઇશ્રી સોનલ માના જન્‍મોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. પૂર્વ સંધ્‍યાએ ભવ્‍ય લોક ડાયરામાં ચારણો ઉપરાંત ચારણોની સાથે સંકળાયેલ તમામ જ્ઞાતિના મહાનુભાવો, વડિલો, મુરબ્‍બીઓ, સમાજ શ્રેષ્‍ઠીઓ, અધિકારી-પદાધિકારીઓ  તેમજ માતાઓ-બહેનો હજારોની સંખ્‍યામાં  હાજરી આપે છે. આ વર્ષે ૯૯ માં જન્‍મોત્‍સવ નિમિતે ભવ્‍ય કાર્યક્રમમાં આવતા ૧૦૦માં જન્‍મોત્‍સવની પૂર્વ તૈયારીઓ શરૂ કરેલ છે.

તમામ જ્ઞાતિજનોને ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ પ્રમુખશ્રી પ્રકાશભાઇ કવલ દ્વારા પાઠવવામાં આવેલ છે. કાયક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખશ્રી મહિપતભા ગઢવી, મંત્રીશ્રી પ્રવિણભા ગઢવી, સહમંત્રીશ્રી ભરતભા નાગૈયા, સંગઠન મંત્રી હમીરભા ગઢવી, સર્વશ્રી કનુભા સાબા, ભાવેશભા  ફુનડા, કેશુભા મધુડા, રવિભા નાગૈયા, મુળુભા ઘાઘણીયા, શાંતિભા રતન,  કરશનભા બુદશી, રવિભા ગોલ, દેવરાજભા બાવળા, હરેશભા વડગામા, કિશોરભા બાવડા, હેમુભા મધુડા, મહેશભા બાવડા, શાંતિભા, મેઘરાજભા રતન, સંજયભા બળદા, રણજીતભા બળદા, અજીતભા કવલ, કમલેશભા જેશળ, લાલાભા રતન, કાળુભા રતન, પ્રવિણભા બાવડા, કનુભા કવલ, મનોજભા ફુનડા, દિનેશભા બળદા, લાલાભા, જેશીંગભા બાવડા, લાલાભા ઠાકરીયા, અશ્વિનભા ફુનડા, રામભા બાવડા, અજયભા પાલીયા, લાલાભા વડગામા, યોગેશભા બાવડા, ભુપતભા બાવડા, ભુપતભા બળદા લાભુભા રતન, દેવકરણ મધુડાઅ અને લાભુભા બાવડા સહિતના જહેમત ઉઠાવી  રહ્યા છે.

ભવ્‍ય લોકડાયરાના કલાકારો કલાકારશ્રી હકાભા ગઢવી, હાસ્‍ય કલાકારઃ હમીર ગઢવી, અષાઢી ગાયક, મુંબઇ મીતરાજ ગઢવી, ભેળીયા ચરજ કિશોરદાન ગઢવી, લોક સાહિત્‍યકાર જમાવટ કરશે.

આ અંગે વધુ માહિતી માટે પ્રકાશભા કવલ, (પ્રમુખ)મો. ૯૩૨૮૪૬૮૯૦૦, મહિપતભા ગઢવી, મો.નં. ૯૯૦૪૧૩૯૩૯૪,  પ્રવિણભા ગઢવી, મો.નં. ૯૩૨૮૭૭૫૦૦૫ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું  છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(12:07 pm IST)