Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પ્રદેશ ભાજપ બક્ષીમંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે કોરોનાને આપી મ્હાત

સંપુર્ણ સ્વચ્થ થયાઃ આગામી સપ્તાહથી સંગઠનાત્મક પ્રવાસ

રાજકોટ,તા.૯: પૂર્વ મેયર અને  ભાજપ બક્ષીમંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર મેળવી કોરોનાને મ્હાત  આપી  સંપુર્ણ સ્વચ્થ થયા છે. તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ અંગે ઉદય કાનગડે અકિલાને જણાવ્યુ હતુ કે, તેઓને સામાન્ય શરદી-ઉધરસ થતા કોરોનાનો આર.ટી.પી.સી.આર રીપોર્ટ થયેલ જેનો  પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ફેમીલી ડોકટરની સલાહ મુજબ તેઓ  સ્ટાર સીર્નજી હોસ્પિટલની પેટ્રીયામાં સારવાર મેળવેલ. જયાં બે- ત્રણ દિવસ પહેલા શ્રી કાનગડનો રિપોર્ટ નેગેટીવ આવતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપાઇ હતી. હાલ તેઓ સંપુર્ણ સ્વચ્થ છે.

તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, હાલમાં પક્ષ દ્વારા જે નવી જવાબદારી આપવામાં આવી છે ત્યારે આવતા સપ્તાહથી પ્રદેશમાં વિવિધ શહેરોમાં સંગઠાનત્મક પ્રવાસ  ઉત્સાહભેર આગળ ધપાવીશ.

અત્રે નોંધનીય છે કે , મ.ન.પાની ગત ટર્મમાં સ્ટે.ચેરમેન તરીકનાં કાર્યકળ દરમિયાન કોરોનાની પ્રથમ લહેર વખતેે ઉકાળા કેન્દ્રો, ધન્વંતરી રથ, ટેસ્ટીંગ કેમ્પ, કોરોન્ટાઇન વગેરે કાર્યવાહી ઝડપી અને સરળ બને તે માટે અધિકારીઓ સાથે ખભે ખભા મિલાવી સતત લોકો વચ્ચે રહી જાહેર આરોગ્ય માટે ચિંતિત રહ્યા હતા. ઉપરાંત ગરીબ-મધ્યમ વર્ગનાં પરિવારજનો માટે રાશન કીટનું વિતરણ કર્યુ હતુ. જે લોકો માટે આર્શીવાદ સમાન સેવા પૂરવાર થયેલ

આમ ઉદય કાનગડે કોરોનાને હરાવતા પરિવાજનોને, મિત્રો , શુભેચ્છોએ આનંદની લાગણી સાથે શુભેચ્છા વરસાવી હતી.(મો.નં-૯૯૦૯૯૯૨૪૦૪)

(2:55 pm IST)