Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

લોધીકામાં ભાભી વાત કરતાં ન હોઇ માઠુ લાગતાં ૧૫ વર્ષના દિયર વિનોદનો આપઘાત

ગળાફાંસો ખાઇ લીધોઃ દિકરાના મોતથી વાઘેલા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯: લોધીકામાં મફતીયાપરા વિસ્તારમાં રહેતાં ૧૫ વર્ષના વિનોદ ધીરૂભાઇ વાઘેલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

વિનોદે ગઇકાલે છતના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આત્મહત્યા કરનાર વિનોદ ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વિનોદ સાથે તેના ભાભી વાતચીત કરતાં ન હોઇ માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભર્યુ છે. હેડકોન્સ. અજયભાઇ વધુ તપાસ કરે છે.

(11:29 am IST)