Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

રાજકોટ નાગરિક બેંકનાં ડિફોલ્ટર

ઈબ્રાહીમભાઈ સપ્પાને ચેક રિર્ટનનાં કેસમાં ૧ વર્ષની જેલની સજાઃ વળતરની રકમ ચૂકવવા હૂકમ

રાજકોટઃ બેંકમાંથી લોન લઈ ભરપાઈ ન કરનાર ડિફોલ્ટરને માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.

વિગતથી જોઈએ તો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની પરાબજાર શાખામાંથી ઈબ્રાહીમભાઈ હુસેનભાઈ સપ્પાને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયું હતું. ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ફર્યો હતો.

જેથી બેંકે તા.૨/૧૧/૨૦૧૮નાં ઈબ્રાહીમભાઈ હુસેનભાઈ સપ્પા સામે રાજકોટની નેગોશીયેબલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ કર્યો હતો. આરોપીએ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

આથી, એડી.સીનીયર સીવીલ જજની કોર્ટે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- ૧૩૮ હેઠળ ઈબ્રાહીમભાઈ હુસેનભાઈ સપ્પાને ૧ વર્ષની જેલની સજા અને ચેક રિટર્નનાં વળતર રૂપે રૂ.૧ લાખ ૮૫ હજારની રકમ ચુકવવી. જો ઈબ્રાહીમભાઈ હુસેનભાઈ સપ્પા ઉપરોકત રકમ દિવસ-૬૦માં ન ચુકવે તો બીજા ૧ વર્ષની વધારાની કેદની સજા ફરમાવી હતી.

ચેક રિર્ટનનાં કેસની આ કામગીરીમાં બેંક વતી એડવોકેટશ્રી નીલભાઈ પુજારા ફરિયાદી ભાવિનભાઈ વેકરીયા રોકાયેલ હતા.ચેક રિર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકનાં અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઈ ગયો છે.

(4:15 pm IST)