Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

'ગાયના ગોબરના ગણેશ' અભિયાન સફળ રહેતા હવે 'કામધેનુ દિપાવલી' મિશન : ડો. કથીરિયા

ગોબરની મુર્તિના અભિયાનને વ્યાપક પ્રતિસાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ ગાયના ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ માટે અભિયાન શરૂ કરતા વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો. આત્મ નિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા વિચારોને સમર્થીત આ અભિયાનને તેઓ હજુ આગળ વધારવા માંગે છે. ટુંક સમયમાં કામધેનુ દિપાવલી મિશન શરૂ કરાશે. દિવાળી આર્ટીકલો પણ ગાયના ગોબરમાંથી તૈયાર કરાશે. આ માટે ડો. કથીરીયાના નેતૃત્વ હેઠળ અમર તલવારકર, મિતલ ખેતાણી, પુરીશ કુમાર, એસ. આર. સિંઘ, સુનિલ કાનપરીયા, વિજય પાટીલ, માધવ હેબર, રાજેશ ડોગરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:43 am IST)