Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા વોર્ડ નં.૧૪ અને વોર્ડ નં.૧૭માં વિનામુલ્યે ઉકાળા વિતરણ કરાયું

રાજકોટ : આજે તા.૦૯ને રાજકોટ શહેરના વોર્ડ નં.૧૪ અને વોર્ડ નં.૧૭માં રાજનીતિ કી પાઠશાલા દ્વારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરના હસ્તે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું અને અંદાજે ૯૦૦ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો. તે વખતની તસ્વીર . રાજકોટની જનતાના આરોગ્યના હિતમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ રથ છેલ્લા પાંચ દિવસથી કાર્યાન્વિત કર્યો છે અને રાજનીતિ કી પાઠશાલાના રાજકોટ શહેર પ્રમુખ શ્રી મૌલેશભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા મહામંત્રી ભાવનાબેન પારેખ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ભાર્ગવ પઢિયાર અને રાજકોટ શહેરની ટીમ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવેલ છે ત્યારે વિનામુલ્યે ઉકાળા વિતરણમાં નિશાંત પોરિયા, પાર્થ બગડા (પ્રિન્સ), મેહુલ જીત્યા, અક્ષય મકવાણા, રાજ મકવાણા, પિયુષ કિયાડા, સહિત રાજકોટ રાજનીતિ કી પાઠશાલાની ટીમ દ્વારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્ય રાજકોટ શહેરના દરેક વોર્ડમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(2:42 pm IST)