Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોવિડના દર્દીઓને રાજકોટ મેડિકલ કોલેજમાં પ્લાઝમા વિનામુલ્યે મળશેઃ ડીન ડો. ગોૈરવી ધ્રુવ

રાજકોટ તા. ૯ : રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવની યાદી જણાવે છે કે કોરોના દર્દીની સારવાર માટે હવે પ્લાઝમાની જરૂરિયાત હશે તો બ્લડ બેન્ક, પીડીયુ હોસ્પિટલ રાજકોટ દ્વારા કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવામાં નહીં આવે.

રાજકોટ જિલ્લાની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા મેળવવા માટેની કામગીરી સરળ બનાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાંથી દર્દી માટે પ્લાઝમાની જરૂરિયાત મેડિકલ કોલેજ રાજકોટ ખાતે આવશે તો તે મેળવવા માટેની સુવિધા નિશુલ્ક રહેશે તેમ જણાવાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં પ્લાઝમાના ૫૭ કલેકશન થયા છે અને ૫૫ દર્દીને પ્લાઝમા ડોનેટ કરવામાં આવેલ છે.

(2:48 pm IST)