Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં આયંબિલ ઓળી આરાધનાઃ ચાતુર્માસ ઘોષણા

રાજકોટ, તા.૯: શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં નવપદ આયંબિલ ઓળીનો પ્રારંભ તા.૧૨ મંગળવારથી થશે. આયંબિલનો લાભ મનહરલાલ ભગવાનજી મહેતા હ.પારૂલ, વીરા, જુલી વગેરે લઇ રહેલ છે. આયંબિલ કરનારે પોતાના નામ ઓફિસમાં લખાવવા જરૂરી છે.

જયારે પૂ.ગુરૂદેવ તથા મહાસતીજીઓના ચાતુર્માસ વિતરણનો કાર્યક્રમ તા.૨૮ને ગુરૂવારના સવારે ૯:૩૦ કલાકે યોજાશે. તા.૧૦ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧૧ કલાકે લઘુ સાધુ વંદના શિબિર પ્રવચન યોજાશે. ભરૂચ જૈન સંઘના પ્રમુખ અરવિંદભાઇ પારેખ વગેરે હાજરી આપશે. જીવદયા કળશની અર્પણ વિધિ ભરતભાઇ મહેતાના હસ્તે લતાબેન અને મુકેશભાઇ ગાંધીને કરવામાં આવેલ.

(4:10 pm IST)