Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ક્રિષ્ના પાર્કમાં કિંજલ માણાવદીયાનો ગળા ફાંસો ખાઇ

પરિણીતાના આપઘાત પાછળનુ કારણ જાણવા યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૯ : સાધુવાસવાણી રોડ પર આવેલા ક્રિષ્નાપાર્કમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક શેરી નં.૪માં રહેતા કિંજલબેન જયદીપભાઇ માણાવદીયા (ઉ.૩૦) એ ગઇકાલે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો પરિવારજનો પરિણીતાને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા પરિણાતનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ.દીલીપભાઇ રત્નુ તથા અનુજભાઇએ સ્થળ પર પહોંચી પરિણીતાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)