Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ખોડલધામ મંદિર પરીસર ૩૦મી સુધી બંધ

શ્રધ્ધાળુઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે

રાજકોટઃ રાજય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. ત્યારે હાલની આ વિકટ પરિસ્થિતિમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ૧૦ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર શ્રધ્ધાળુઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. તેવો નિર્ણય નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવ્યો હતો.

શ્રધ્ધાળુઓ દરરોજ મા ખોડલના દર્શન શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી ઘરે બેઠાં કરી શકશે. ઓનલાઈન પૂજા વિધિ કરી ધ્વજારોહણ કરી શકાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા અપીલ કરાઈ છે.

(11:45 am IST)