Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોવિડ-૧૯ વોરિયર ડીઆઇજી સ્વ. ડો. એમ. કે. નાયકને રાજકોટ શહેર પોલીસે શ્રધ્ધાંજલિ પાઠવી

રાજકોટઃ વડોદરા આર્મ્સ યુનિટમાં ડીઆઇજી તરીકે ફરજ બજાવતાં ડો. એમ. કે. નાયક (આઇપીએસ) કોરોના વાયરસ સામે મહત્વની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થતાં તેમનું ૯/૪ના અમદાવાદ ખાતે અવસાન થતાં સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેમને રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે બે મિનીટ મોૈન માળી શ્રધ્ધાંજલિ આપી હતી.

(4:19 pm IST)