Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પ્રિન્સીપાલ વિભાગમાં યજ્ઞેશ જોશીએ દાવેદારી પરત ખેંચતા

સિન્ડીકેટની ચૂંટણીમાં રાજેશ કાલરીયા અને ધરમ કાંબલીયાની બીનહરીફ વરણી

રાજકોટ તા. ૧૧ : કોરોનાની મહામારી અને ગંભીર સ્થીતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સીન્ડીકેટની ચૂંટણી ચાલી રહી છે. સામાન્ય રીતે સીન્ડીકેટમાં ધંધાદારી વ્યકિતઓ યેનકેન પ્રકારે આવી જતા હોય છે.

સિન્ડીકેટની જનરલ વિભાગની પ બેઠક અને ટીચર બેઠક ઉપર કોંગ્રેસ ભાજપના સભ્યો ભાગબટાઇ કરીને પ બેઠક ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસને ફાળે ગઇ હતી.કોલેજ આચાર્ય વિભાગની બે બેઠક ઉપર પ્રિન્સીપાલ યજ્ઞેશ જોશીએ દાવેદારી પરત ખેંચતા રાજેશ કાલરીયા અને ધરમ કાંબલીયા બીનહરીફ થાય છે.

છેલ્લા ર૧ વર્ષથી કડવા પાટીદાર પ્રિ. વિજય ભટ્ટસળા ચૂંટાઇ આવતા હતાં. આ બેઠક ઉપર ફરી ભાજપે કડવા પાટીદાર રાજેશ કાલરીયાની પસંદગી ઉતારી હતી. જયારે ધરમ કાંબલીયા સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઇ આવ્યા છે.

(4:26 pm IST)