Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

દશનામ ગોસ્‍વામી સમાજના છાત્રોને કાલે ટોકન દરે નોટબુક વિતરણ રૂા ૧૦ માં

ટુંક સમયમાં વિદ્યાર્થી સન્‍માનનો કાર્યક્રમ , ફોર્મ વિતરણ

રાજકોટઃ શ્રી દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા આવતીકાલે તા. ૧૧ ના રવિવારે દશનામ ગોસ્‍વામી જ્ઞાતિનાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ  શ્રી ભારત વિકાસ પરિષદ સંચાલિત પૂજય રણછોડદાસબાપુ કોમ્‍યુનીટી હોલ આનંદનગર કોલોની મેઇનરોડ ખાતે સવારે-૮:૩૦ વાગ્‍યથી યોજાએલ છે.

જેમાં કુલ ૧૪૦૦ નોટબુક આપવામાં આવશે ધો. ૧ થી ૫ ના છાત્રોને. પાંચ અને સ્‍નાતક સુધીના છાત્રોને ૧૦ નોટ અપાશે એક નોટની કિંમત રૂા૧૦ રહેશે.

આ ઉપરાંત શ્રી દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળ દ્વારા આગામી સમય માં તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારંભ યોજાશે. જેમાં ધો ૧ થી ૯ તથા ૧૧ માં ૮૦% થી વધુ તથા ધો ૧૦ માં ૭૦% થી વધુ અને ધો ૧૨ માં  ૬૦% થી વધુ ગુણ સાથે ઉતીર્ણ થનાર તથા કોલેજ કક્ષાની તમામ ફાઇનલ ડીગ્રીમાં ઉતીર્ણ થનાર ગોસ્‍વામી સમાજ ના વિદ્યાર્થીઓને સન્‍માન સમારંભ યોજાશે. તેના ફોર્મ તા ૧૧ થી તા. ૧/૭ સુધીમાં ઓમ વિદ્યાલય આનંદનગર ખાતે માર્કશીટ ઝેરોક્ષ સાથે પ્રફુલગીરી ગોસ્‍વામી નો સપર્ક કરવાનો રહેશે

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જાગૃતિ મંડળના નોટબુક વિતરણ પ્રોજેકટ ના કન્‍વીનર ધર્મેન્‍દ્રગીરી તથા આશિષપુરી તેમજ કારોબારી સભ્‍યો ગૌતમગીરી ચમનગીરી, આશિષપુરી મગનપુરી, સુરેશગીરી શાતિગીરી, કૈલાશગીરી હેસગીરી, મૌલિકગીરી અશ્‍વીનગીરી, અંકિતપુરી શંભુપરી, જનકપુરી રમણીકપુરી, જહેમત ઉઠાવી રહયા છે. તેમ સંસ્‍થાના પ્રમુખ જયોતિષગીરી રામગીરી અને વિજયગીરી અમૃતગીરી ગોસ્‍વામીની યાદીમાં જણાવ્‍યું છે. (તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(3:57 pm IST)