Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જાગનાથ શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘમાં કાલે

પૂ.યશોવિજયજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ તથા પૂ.બા મહારાજની ગુણાનુવાદ સભા

રાજકોટ તા. ૧૦ : જાગનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે કાલે રવિવારે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ તથા પૂ. સાધ્વીવર્યાશ્રી રત્નયશાક્ષીજી મ.સ. (બા.મહારાજ)ના સમાધિપૂર્ણ કાળધર્મના ઉપલક્ષમાં ગુણાનુવાદ સભા યોજાશે.

પૂ.આ.ભગવંતશ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાશે. જેમાં સવારે ૮-૩૦ કલાક સામૈયુ શ્રી આદીનાથ ગૃહ ચૈત્ય જિનાલય, જીમખાના મેઇન રોડથી શરૂ થશે. પ્રવેશ બાદ પૂ.શ્રીના શ્રી મુખેથી ૯ થી ૧૧ દરમિયાન માંગલીક વ્યાખ્યાન તથા પૂ. બા મહારાજના ગુણાનુવાદ યોજાશે.

સંઘ દ્વારા જીવદયા, પાઠ શાળા, સાધર્મિક ભકિત તથા અનુકંપાના કાર્યક્રમો યોજાશે. સામુહિક આયંબિલ આરાધનાનો લાભ રશ્મીબેન જીતેન્દ્રભાઇ પરિવારે લીધેલ છે. સકળ સંઘને પધારવા પ્રમુખ દિનેશભાઇ પારેખે આમંત્રણ પાઠવ્યું છે.

(3:06 pm IST)