Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

‘આપ’ના શહેર મંત્રી પરેશભાઈ શીંગાળાના કાર્યાલયનું કાલે રવિવારે ઉદ્ઘાટન

રાજકોટઃ આવતીકાલ રવિવારે તા.૧૧ સવારે ૧૧ કલાકે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરનાં મંત્રી પરેશભાઈ શીંગાળાના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા પાર્ટીનાં આગેવાનો કરશે.

મૂળ ગોંડલના વતની એવાં પરેશભાઈ શીંગાળાનાં સ્વ.પિતાશ્રી ધનજીભાઈ શીંગાળા પણ જાહેર જીવનમાં અદકેરૂ સ્થાન ધરાવતાં  હતા. સ્વ.ધનજીભાઈએ ગોંડલ સુધરાઈનાં પ્રમુખ તરીકે ૧૦ વર્ષ સુધી સેવા આપી હતી. શ્રી લોહાણા મહાપરીષદમાં પણ કેન્દ્રીય મધ્યસ્થ સમિતિનાં સભ્ય છે તથા રાજકોટની શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનામાં ભૂતકાળમાં મહામંત્રી તરીકે  ફરજ બજાવી ચૂકયા છે.

હાલમાં યોજાયેલી મહાનગરપાલીકાની ચૂંટણીમાં પણ વોર્ડ નં.૭માં ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલ હતા. પરેશભાઇ શીંગાળાનાં કાર્યાલયનું સરનામું પુષ્ટિ પાલવ, ૨૫-એ, ન્યુ જાગનાથ પ્લોટ, જેબી એપાર્ટમેન્ટ સામે, રાજકોટ (મો.૯૮૯૮૪ ૯૩૬૪૮)

(3:55 pm IST)