Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જિલ્લા પંચાયતના ર૪ તલાટીઓની બદલીઃ અમૂકને મળી 'મનપસંદ' જગ્યા

૧૬ની માંગણી મુજબ બદલીઃ કેટલાક લીવ રીઝર્વવાળાને નિમણૂક

રાજકોટ, તા., ૧૦: જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ પંચાયતના તલાટીઓની બદલીના હુકમ કર્યા છે જેમાં ૧૬ જેટલા માંગણી મુજબના છે. બાકીના વહીવટી કારણસરના છે. બે-ત્રણ તલાટીઓની બે મહિના પહેલા બદલી  થયેલ તે પાછા મૂળ જગ્યાએ આવી ગયા છે.

જે તલાટીઓની બદલી થઇ છે તેમાં જી.આર.રાતડીયા, ડી.જે.ભરવાડ, ધર્મેશ બાબરીયા, જી.પી.ભાલીયા, પી.પી.રાઠોડ,  ગઝલ નિમાવત, જે.એસ.સરવૈયા, શર્મીલા શિયાણી, અંકિત પટેલ, પી.એલ. વસોયા, ભાવીન વડેરા, સુમીત મોર્ય, કે.બી.ધોરીયા, જાગૃતીબેન જોષી, મેહુલ મૈયાત્રા, એન.સી. મકવાણા, સી.આર.ઝાલા, સુભાષ પંડયા, એમ.ડી.ચૌહાણ, એચ.એમ.ગોસાઇ, ડોડીયા,  એલ.એસ.પલાણીયા, એલ.કે.ઝાપડા વગેરેનો સમાવેશ થાય છે. અમુક લીવ રીઝર્વવાળાને નિમણુંક આપવામાં આવી છે. પંચાયતની તલાટીઓની બદલીનો મુદ્દો પંચાયત વર્તુળોમાં ચર્ચાની એરણે છે.

(3:56 pm IST)