Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ૩૯ શહેર- જીલ્લાના પ્રમુખોની જાહેરાત

રાજકોટ શહેરમાં કમલેશ મિરાણી રીપીટઃ જીલ્લામાં મનસુખભાઇ ખાચરીયા

જામનગરમાં વિમલ કગથરા, મોરબી માટે દુર્લભજી દેથરીયા, જુનાગઢ શહેરમાં પુનિત શર્મા,પોરબંદરમાં કિરીટ મોઢવાણીયા, ભાવનગર શહેરમાં રાજીવ પંડયા અને બોટાદ માટે ભીખુભાઇ વાઘેલાની વરણી

રાજકોટઃ તા.૧૦, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ દ્વારા ૩૯ જીલ્લા-મહાનગરના પ્રમુખોની ગઇ સાંજે ઘોષણા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરમાં કમલેશ મિરાણીને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે તાપી, દાહોદ, જુનાગઢ, કચ્છ અને કચ્છ જીલ્લામાં પણ પ્રમુખપદ યથાવત રાખ્યા છે. રાજકોટ જીલ્લામાં મનસુખભાઇ ખાચરીયાની વરણી કરવામાં આવી છે.

શ્રી સી.આર.પાટીલ દ્વારા ૪૧માંથી ૩૯ પ્રમુખોની નિમણુંક કરી છે. જયારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા અમદાવાદ શહેર અને ગાંધીનગર જીલ્લાના પ્રમુખપદ માટેના નામોની હજુ ઘોષણા કરવામાં આવી નથી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટ શહેરમાં કમલેશ મીરાણીને પ્રમુખપદે યથાવત રાખવામાં આવ્યા છે.

જયારે કચ્છમાં કેશુભાઇ પટેલ, જામનગર શહેર વિમલભાઇ કગથરા, જામનગર જીલ્લો રમેશભાઇ મુંગરા, દેવભૂમિ દ્વારકા, ખીમજીભાઇ જોગલ (આહિર), મોરબી દુર્લભજી કેથરીયા, જુનાગઢ શહેર પુનીતભાઇ શર્મા, જુનાગઢ જીલ્લો કિરીટભાઇ પટેલ, ગીર સોમનાથ માનસિંહ પરમાર, પોરબંદર કિરીટભાઇ મોઢવાણીયા, અમરેલી કૌશીકભાઇ  વેકરીયા, ભાવનગર શહેર રાજીવભાઇ પંડયા, ભાવનગર જીલ્લો મુકેશભાઇ લંગાળીયા, બોટાદ ભીખુભાઇ વાઘેલા અને સુરેન્દ્રનગરમાં જગદીશભાઇ દલવાડીની નિમણુંક કરવામાં આવી છે.

૩૯ શહેર જીલ્લા ભાજપ પ્રમુખોની જાહેરાત

(11:47 am IST)