Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

લોહાણા મહાપરિષદના પ્રમુખપદે સતીષભાઈ વિઠ્ઠલાણીની સર્વાનુમતે વરણી

સમગ્ર વિશ્વના લોહાણા સમાજની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદની ઈ.સ.૨૦૨૦ થી ૨૦૨૫ની પાંચ વર્ષની ટર્મ માટે સતીષભાઈ વિઠ્ઠલાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મહાપરિષદની વરણી સમિતિની મીટીંગમાં નવીનચંદ્ર રવાણી દ્વારા સતીષભાઈ વિઠ્ઠલાણીના નામની પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જે વરણી સમિતિના હાજર રહેલ તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર રાખવામાં આવી હતી. મુળ વલસાડના અને છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈ ખાતે સ્થાયી થયેલ સતીષભાઈ વિઠ્ઠલાણી મુંબઈ ખાતેના ખીમજી ભગવાનજી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. વિદાય લેતા પ્રમુખ પ્રવિણભાઈ કોટકે આજની વરણી સમિતિની મીટીંગમાં પોતાનું ઉદ્દબોધન પૂરૃ કર્યુ ત્યારબાદ નવા પ્રમુખના નામની ભલામણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

(4:54 pm IST)