Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ખોડીયારનગરમાં મહેશભાઇ મકવાણાનો ફાંસો ખાઇ આપઘાત

પુત્રએ પિતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૧: ગોંડલ રોડ પર ખોડીયારનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ખોડીયારનગર શેરી નં. ૬ માં રહેતા મહેશભાઇ વિનુભાઇ મકવાણા (ઉ.વ.૪૦) એ ગઇકાલે પોતાના ઘરે છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો પુત્ર ઘરે આવ્યો ત્યારે પિતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરાતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ. ગીતાબેન પંડયા તથા મનુભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક મહેશભાઇ ફેબ્રીકેશનનું કામ કરતા હતા. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(2:37 pm IST)