Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વ્‍યાકરણ શીબીર

 સ્‍નેહ સંવેદના એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા મવડી વિસ્‍તારના ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્‍યે ૧૫ દિવસીય વ્‍યાકરણ શીબીર યોજવામા આવી હતી. જેનો ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. વિષય તજજ્ઞ તરીકે ડો. વિજય ગોસ્‍વામી અને મવડી વિસ્‍તારના શિક્ષક નીતીનભાઇએ સેવા આપી હતી. શીબીર દરમિયાન શિવમ ફાઉન્‍ડેશનના પ્રમુખ ગૌતમ દવે અને ટ્રસ્‍ટના સભ્‍યો દ્વારા તમામ બાળકોને વિનામુલ્‍યે નોટકબુક અને પુઠાનુ઼ વિતરણ કરવામાં આવેલ. જાનકી મારવીયા, ખુશાલી ગોંડલીયા, ખુશાલી, બંશી, રિધ્‍ધીએ દરરોજ વ્‍યકરણને લગતી રમતો તૈયાર કરી એ રીતે શીબીરાર્થીઓને વ્‍યાકરણનું પીરસ્‍યુ હતુ. શીબીરના સમાપન દિવસે સંસ્‍થાના પ્રમુખ એન. એચ. ભરડવાની ઉપસ્‍થિતિમાં કેક કાપી શીબીરમાં મદદરૂપ બનેલ તમામ વિદ્યાર્થી ભાઇ બહેનોને ગીફટ અપાઇ હતી.

(2:53 pm IST)