Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોંગ્રેસની દુષિત માનસિકતા સામે ભાજપ કિસાન મોરચાના કાલે ધરણા

રાજકોટ,તા. ૧૧ : પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજય કોરાટ, શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ ભરતભાઈ શીંગાળા, મહામંત્રી રસિકભાઈ પટેલ, યોગેશ ભુવાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે  પંજાબ રાજની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવને જોખમ ઉભુ કરવાની ઘટનાને વખોડવા અને પંજાબ સરકારના આ કૃત્યનો વિરોધ કરવા ભાજપ દ્વારા રાજયભરમાં ધરણાના કાર્યક્રમો યોજાઈ રહયા છે.

તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કિશાન મોરચા દ્વારા આવતીકાલે તા.૧ર/૧ના બુધવારે સવારે ૧૦ કલાકે માર્કેટીંગ યાર્ડ (બેડી) ખાતે મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમમાં શહેર ભાજપ કિશાન મોરચાના મહાનગરમાં રહેતા પ્રદેશ હોદેદાર, પ્રદેશ કારોબારી સભ્યો, મહાનગર તથા વોર્ડની ટીમ, કારોબારી સભ્યો સહીતના હોદેદારોને ઉપસ્થિત રહેવા પ્રદેશ ભાજપ કિશાન મોરચાના મંત્રી, શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ ભરતભાઈ શીંગાળા, મહામંત્રી રસિકભાઈ પટેલ, યોગેશ ભુવા દ્વારા  જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.

(3:19 pm IST)