Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાજપ દિવ્‍યાંગ સેલ દ્વારા હવન

પંજાબમાં દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રવાસ દરમ્‍યાન કોંગ્રેસે દાખવેલ સુરક્ષા વ્‍યવસ્‍થામાં મોટી ખામી અને અવ્‍યવસ્‍થા બદલ તેની સદ્દબુધ્‍ધિ અર્થે ભાજપ દિવ્‍યાંગ સેલ દ્વારા શૈલેષભાઈ  પંડયાની આગેવાની હેઠળ શાળા નં.પપ, આનંદ બંગલા ખાતે હવન કરવામાં આવ્‍યો હતો. પ્રધાનમંત્રીશ્રીના સ્‍વસ્‍થ આરોગ્‍ય અને દિર્ધાયુની મંગલ કામના કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, અશોક લુણાગરીયા, હરેશ જોષી, મનહરભાઈ બાબરીયા, જયવિરસિંહ પરમાર સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ હવનમા શાસ્‍ત્રીજી તરીકે જયેશભાઈ પંડયા, સંજયભાઈ પંડયા, જીજ્ઞેશભાઈ વ્‍યાસ, નિતીનભાઈ પંડયાએ સેવા આપી હતી

 

(4:00 pm IST)