Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજકોટના વાવડીના એક સર્વે નંબરની જમીનના ૫ કેસોમાં ખાનગી ઠેરવવાના ચૂકાદામાં રાજકોટના ભૂતપૂર્વ કલેકટરના ચૂકાદા માન્ય રહેતા ખળભળાટ

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટના વાવડીના એક સર્વે નંબરની જમીનના કુલ ૫ કેસોની જમીન જે તે ડે. કલેકટરે ખાનગી ઠેરવી નાખી હતી. આ પછી આ કેસો તત્કાલીન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લઈ આ ચૂકાદા અમાન્ય ઠેરવી - મનાઈ હુકમ જારી કરી દીધો હતો. આ સામે અરજદારો દ્વારા ગાંધીનગર એસએસઆરડીમાં અપીલ થઈ હતી, પરંતુ એસએસઆરડીએ પણ કલેકટરે કરેલ ચૂકાદા માન્ય રાખતા ખળભળાટ મચી ગયો છે. આમા અનેક મોટા માથાની જમીનો છે. કલેકટર લોબીમાં આની આજે ભારે ચર્ચા હતી. જો કે સ્ટાફ હાજર ન હોય ફાઈલ કે વિગતો પ્રાપ્ય બની ન હતી.

(3:49 pm IST)