Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કાલે કેજરીવાલ રાજકોટમાં: સાંજે સભા

બપોરે આગમન બાદ પત્રકાર પરિષદને સંબોધન કરશેઃ રાજકોટ ‘આપમય': ઠેર-ઠેર બેનરો-ઝંડી લાગ્‍યા

રાજકોટ તા.૧૦: ગુજરાત વિધાનસભાની આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા માટે દિલ્‍હીના મુખ્‍યમંત્રી આપના સર્વેસર્વા એવા અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે ત્‍યારે સમગ્ર રાજકોટમાં પક્ષ દ્વારા બેનરો અને ઝંડીઓ લગાવવામાં આવી છે.

આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરવા રાજકોટ આવી રહેલા કેજરીવાલ કાલે બપોરે ૩ વાગ્‍યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્‍યાં તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યા બાદ તેઓ સીધા ઇમ્‍પીરીયલ પેલેસ જશે અને ત્‍યાં પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધન કરી સાંજે ૭ વાગ્‍યે શાષાી મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે. તે દરમ્‍યાન તેઓ રાજકોટના પ્રબુધ્‍ધ નાગરિકોને પણ મળનાર હોવાનું જાણવા મળે છે.

અરવિંદ કેજરીવાલ રાત્રિ રોકાણ પણ રાજકોટમાં કરશે અને ગુરૂવારે સવારે દિલ્‍હી જવા રવાના થશે. આ દરમ્‍યાન તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ પણ ઘડશે.

(3:33 pm IST)