Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કેજરીવાલ રાજકોટમાં... સાંજે શાસ્ત્રી મેદાનમાં વિરાટ સભા

રાજકોટ : દિલ્હીના મુખ્યમંત્રી અને ‘આપ’ના સર્વેસર્વા શ્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ ઍરપોર્ટ ખાતે આગમન થયુ છે. કેજરીવાલના આગમનની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ - કાર્યકરો દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. ‘આપ’ના નેતા ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી, ઈન્દ્રનીલ રાજયગુરૂ સહિતના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. કેજરીવાલ ઍરપોર્ટથી સીધા જ હોટલ ઈમ્પેરીયલ પેલેસ ખાતે રવાના થયા હતા. 
દિલ્હીમાં મજબૂત શાસન બાદ આમ આદમી પાર્ટીઍ પંજાબમાં સત્તા મેળવ્યા બાદ પૂરી તાકાતથી ગુજરાતમાં લડવાનો નિર્ધાર કર્યો છે. આ કારણે રાજયમાં ત્રિ-પાંખીયા જંગનો રોમાંચ સર્જાયો છે. જંગ અંતર્ગત આજે કેજરીવાલ રાજકોટ આવ્યા છે. આજે તેઓ વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે બેઠકોમાં વ્યસ્ત રહેશે અને સાંજે ૭ વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જાહેરસભાને સંબોધશે. રાત્રી રોકાણ રાજકોટમાં કરીને સવારે દિલ્હી તરફ રવાના થશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:13 pm IST)