Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

શનિવારે ભીલ સમાજના ૧૦માં સમુહલગ્નોત્‍સવ

ચાર દાયકા જુની સંસ્‍થા શ્રી સિંધોઈ ભુવા મંડળ દ્વારા ભીલવાડા ખાતે આયોજનઃ૮ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે, કરીયાવરમાં દીકરીઓને કબાટ, ડ્રેસીંગ ટેબલ, સોના- ચાંદી સહિત ૧૦૦થી વધુ વસ્‍તુઓ અપાશેઃ જ્ઞાતિજનો માટે ભોજન સમારંભ

રાજકોટઃ શહેરની મધ્‍યે ભીલવાડા મેઈન રોડ ઉપર જયશ્રી રોકડીયા હનુમાન મંદિરે પાસે આગામી તા.૧૪ના શનિવારના શુભદિવસે ભીલ જ્ઞાતિના દસમાં સમુહલગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી સિંધોઈ ભુવા મંડળ દ્વારા ૧૪મીના સવારે ૮ વાગ્‍યાથી આયોજીત આ સમુહલગ્નમાં આઠ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને સોના, ચાંદી, કબાટ, ડ્રેસીંગ ટેબલ, શેટી, પલંગ સહિત ૧૦૦થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે. આ ઉપરાંત સમુહલગ્ન પ્રસંગે પણ જ્ઞાતિના ભાઈ- બહેનો દ્વારા નવદંપતિને ભેટ આપશે. સમુહલગ્નના ગોર મહારાજ તરીકે શાષાી શ્રી ઈશ્વરલાલ ત્રિવેદી રહેશે.

૪૦વર્ષ જુની સંસ્‍થા શ્રી સિંધોઈ ભુવા મંડળ દ્વારા દરવર્ષે શિવરાત્રી પર્વ, સમુહલગ્ન, માતાજીની ઉજાણી, માતાજીનો માંડવો સહિત સેવાકીય કાર્યક્રમો યોજાય છે. હાલ સંસ્‍થામાં ૮૦ સભ્‍યો કાર્યરત છે અને ખંતથી સેવા આપી રહ્યા છે. સમુહલગ્નની સાથોસાથ ભીલ જ્ઞાતિજનો માટે ચા- નાસ્‍તા ભોજન સમારંભની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું આગેવાનોએ જણાવેલ. જ્ઞાતિજનોને આમંત્રણ અપાયું છે.

આયોજનને સફળ બનાવવા શ્રી સિંધોઈ ભુવા મંડળના સર્વશ્રી ગોરધનભાઈ મો.૯૪૨૭૫ ૬૪૫૨૦, નિલેશભાઈ મો.૯૮૨૫૯ ૮૯૯૪૩, મહેશભાઈ મો.૯૯૨૫૮ ૨૦૫૦૩, રણછોડભાઈ મો.૯૬૩૮૩ ૫૨૭૭૫, ભરતભાઈ મો.૯૮૭૯૪ ૨૮૩૧૯, સંજયભાઈ મો.૯૯૨૪૫ ૦૮૪૨૧, રાજુભાઈ મો.૯૯૦૪૨ ૨૪૩૪૧સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.

(4:11 pm IST)