Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

માણાવદરના કોઠારીયાના કમલેશનો નાની પરબડીમાં એસિડ પી આપઘાત

યુવાન સસરાના ઘરે ભીમ અગિયારસ કરવા આવ્‍યા બાદ અકળ કારણે પગલુ ભર્યુ હતું: રાજકોટની હોસ્‍પિટલમાં મોત

રાજકોટ તા. ૧૧: માણાવદરના કોઠારીયા ગામે રહેતો કમલેશ વાલાભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) ધોરાજીના નાની પરબડી ગામે સસરાને ત્‍યાં ભીમ અગિયારસ કરવા આવ્‍યો હોઇ અહિ કોઇ કારણોસર એસિડ પી જતાં સ્‍થાનિક સારવાર અપાવ્‍યા બાદ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસને જાણ થતાં એએસઆઇ જી. વાય. પંડયાએ પ્રાથમિક કાર્યવાહી કરી ધોરાજી પોલીસને જાણ કરતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:40 am IST)