Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડનો દેશભરના મૌલાનાઓને પત્ર - ટીવી ડીબેટમાં ભાગ ન લો, ટીઆરપી ઘટી જશે

પયગંબર મોહમ્‍મદ સાહેબ વિરૂદ્ધ વિવાદાસ્‍પદ ટિપ્‍પણીને લઈને શુક્રવારની નમાજ બાદ દિલ્‍હીની જામા મસ્‍જીદની બહાર સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું : ઓલ ઈન્‍ડિયા મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડે આ પત્ર દ્વારા કહ્યુ છે કે મુસ્‍લિમ બૌદ્ધિકોએ ટીવી ડીબેટમાં ભાગ ન લેવો જોઈએ : પોતાના પત્રમાં કહ્યું છે કે ઉલેમા, મૌલાનાએ એવી ટીવી ચેનલોની ચર્ચાઓમાં ભાગ લેવો જોઈએ નહિં જેનો હેતુ માત્ર ઈસ્‍લામ અને મુસ્‍લિમોની મજાક ઉડાવવાનો છે.

(11:48 am IST)