Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આટકોટની કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલની મુલાકાતે સેલસ હોસ્‍પીટલના તબીબોની ટીમ

દર્દી નારાયણના સેવા યજ્ઞમાં જોડાવાની નેમ સાથે

રાજકોટઃ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આટકોટ ખાતે ડો. ભરત બોઘરા દ્વારા સંચાલીત કે.ડી.પરવાડિયા મલ્‍ટી-સ્‍પેશિયાલીસ્‍ટ હોસ્‍પિટલનું લોકાપર્ણ કર્યું રાજકોટ ખાતે સેલસ મલ્‍ટી સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલની ટીમે આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલની મુલાકાત લઇ દર્દી નારાયણના સેવા યજ્ઞમાં જોડાઇ સંપૂર્ણ રીતે મદદ કરવાની ખાતરી આપી હતી.

સેલસ મલ્‍ટી સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલના ડો. ધવલ ગોધાણી, ડો.વી.બી.કાસુન્‍દ્રા, ડો.ધવલ ગોધાણી, ડો.નરેશ બરાસરા, ડો. સાવન છત્રોલા, ડો. સચીન ભીમાણી, ડો. પ્રતિક રાવલ, ડો. હિમાંશુ કાનાણી અને ડો. અભિ કાસુન્‍દ્રા જોડાયા હતા.

(12:14 pm IST)