Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અકિલાની મુલાકાતે વિસ્‍મય માનસતાઃ GPSC પાસ કરી ડીવાયએસપી બન્‍યા

આજરોજ ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાના હાલમાં જ જીપીએસપીની વર્ગ-૧ની પરિક્ષા પાસ કરનાર મૂળ સાવરકુંડલા વતની હાલ રાજકોટના યુવાન વિસ્‍મય પરેશભાઇ માનસતાએ આર્શીવાદ લીધા હતા. વિસ્‍મય માનસતાએ ડેપ્‍યુટી કલેકટર અને ડીવાયએસપી બંનેમાંથી ડીવાયએસપી તરીકે પોલીસ ખાતામાં ફરજ બજાવવા નક્કી કરેલ. કિરીટભાઇએ ચિ.વિસ્‍મયને ખૂબ જ આગળ વધવા અને લોહાણા સમાજનું નામ રોશન કરવા આર્શીવાદ પાઠવ્‍યા હતા. વિસ્‍મય માનસતાએ સમાજના અન્‍ય યુવક-યુવતિઓ પણ સ્‍પર્ધાત્‍માક પરિક્ષાઓમાં ભાગ લેતા થાય તે માટે સોશ્‍યલ મિડીયાના માધ્‍યમથી દેવામાં આવતુ ઉપયોગી માર્ગદર્શન અંગે શ્રી કિરીટભાઇ સાથે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. ઉપરોકત તસવીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિસ્‍મય માનસતા, પરેશભાઇ માનસતા (મો. ૯૨૨૭૮ ૬૬૭૫૫), રાજુભાઇ માનસતા તથા જલારામ ચિકીવાળા પ્રકાશભાઇ દર્શાય છે.

 

(3:27 pm IST)