Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાજકોટના લાખાપર -અણીયારામાં બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત

 રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરના હસ્‍તે રાજકોટ જિલ્લાના લાખાપર અને અનિયારા ગામ ખાતે ગ્રામજનોની સુવિધા માટે બસ સ્‍ટેન્‍ડનું ખાતમુર્હુત કરવામાં આવ્‍યુ હતું. તેમજ ડેરોઇ પ્રાથમિક શાળા ખાતે પેવર બ્‍લોકનું ખાતમુર્હૂત કરવામાં આવેલ હતું. આ તકે ભૂપતભાઇ બોદરએ જણાવેલ કે લાખાપર અને અનિયારા ગામ ખાતે બસ સ્‍ટેન્‍ડની સુવિધાથી આસપાસના ગ્રામજનોને ગ્રામજનોને તેમજ ગામડાથી શહેરમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓને પરિવહન માટે સુગમતા રહેશે. આજુબાજુના ૧૦ થી ૧૫ ગામના  લોકોની અવરજવરમાં બસ સ્‍ટોપ ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે લાખાપર સરપંચ કેતનભાઇ કાનાણી, હંસાબેન દીપકભાઇ ધાડવી, દેવાયતભાઇ હુંબલ, કાનજીભાઇ કુમરખાણીયા, રમેશભાઇ ધાડવી,મગનભાઇ ભુસડીયા, વલ્લભભાઇ મકવાણા, અણીયારા સરપંચ સુરેશભાઇ જાદવ, વિશાલભાઇ અજાણી, મયુરભાઇ અજાણી, અશ્વિનભાઇ સિંધવ, નારણભાઇ ખેર, મનસુખભાઇ વઘાસીયા, ઘોઘાભાઇ મકવાણા, સંદીપભાઇ રામાણી, રસિકભાઇ ખુંટ, નિલેશભાઇ ખુંટ, છગનભાઇ સખીયા, ડેરોઇ સરપંચ ચમનભાઇ સોજીત્રા, કિશોરભાઇ આટકોટીયા, ભીમજીભાઇ કાકડિયા, માધવભાઇ પાનસુરીયા, લખધીરભાઇ હેરભા તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:03 pm IST)