Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે અખંડ શ્રી રામધુનનો ૪૬ માં વર્ષમાં પ્રવેશ : રવિવારે વિશેષ રામધૂનનું આયોજન

રાજકોટ તા. ૧૧ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્‍ટ દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે ગુરૂદેવની પ્રેરણાથી છેલ્લા ૪૫ વર્ષથી શ્રી અખંડ રામધૂન ચાલી રહી છે. જેનો તા. ૧૪ ઓગષ્‍ટના રવિવારે ૪૬ માં વર્ષમાં પ્રવેશ થશે. આ પાવન પ્રસંગે વિશેષ શ્રી રામધૂનનો કાર્યક્રમ રાત્રે ૮ થી ૧૨ રાખવામાં આવેલ છે. જાણીતા ‘રામ નામ કે હીરે મોતી' ફેઇમ અશોકભાઇ ભાયાણી રામધૂનની આલેક જગાવશે. સર્વે ગુરૂ ભાઇ બહેનો, ધર્મપ્રેમીજનોએ પધારવા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્‍ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(5:05 pm IST)