Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

નાકરાવાડીના આપઘાત પ્રકરણમાં પુત્રવધુ દયા ડેડાણીયાને આપઘાત કરવા માટે મજબુર કરનાર સાસુ સવીતાબેન સામે ગુનો

રાજકોટ : નાગરાવાડી ગામમાં રહેતી દયા વિજયભાઇ ડેડાણીયા (ઉ.વ.ર૮) ને છેલ્લા એક વર્ષથી સાસુ સવિતાબેન કેશુભાઇ ડેડાણીયા નાનીનાની બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા હોઇ તેથી પુત્રવધુ દયાએ આ ત્રાસથી કંટાળી જઇ ગઇકાલે તેના બે સંતાન મોહિત (ઉ.૭) અને ધવલ (ઉ.૪) ઉપર કેરોસીન છાંટી સળગી આપઘાત કરી લીધો હતા. આ બનાવમાં કુવાડવા પોલીસે મૃતક દયા ડેડાણીયાને આપઘાત કરવા માટે મજબુર કરનાર સાસુ સવિતાબેન કેશુભાઇ ડેડાણીયા વિરૂધ્ધ ૩૦૬, ૪૯૮ (ક) ની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ એન. એન. ચુડાસમા એ તપાસ હાથ ધરી છે.

(1:41 pm IST)