Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સિવિલ હોસ્પિટલના ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓના ધરણા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના વર્ગ ૩-૪ના કર્મચારીઓ કાયમી કરવાની માંગણી  સાથે ચાર દિવસથી સિવિલ હોસ્પિટલ ચોક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કરી રહ્યા છે. ઓછા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ છે. સરકાર દ્વારા મોંઘવારીમાં અનેક જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ સિવિલના ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓને આમાંથી કોઇ લાભ મળતો નથી. લાંબા સમયથી ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી ભરતી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં અમને સરકારી ધારાધોરણ મુજબ પગાર મળવો જોઇએ તેવી અમારી માંગણી છે. તેમ રાજકોટ સિવિલ હોસ્પિટલ યુનિયનની યાદીમાં જણાવાયું છે.

(3:09 pm IST)