Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આજી રીવરફ્રન્ટ સહિત પડતર કામો ઝડપથી ઉકેલો : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટના પડતર પ્રશ્નોને આગળ વધારવા ગોવિંદભાઇ પટેલે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી હતી.

આજી રીવર ફ્રન્ટને પર્યાવરણની મંજુરી આપી કામ આગળ વધારવા તેમજ રાજકોટથી નજીક બેટી નદી ઉપર ડેમ બનાવીને રાજકોટને પૂરક થઇ શકે તેવી યોજનાને આગળ વધારવા તેમજ યુ.એલ.સી.ના કાયદા વખતે બનેલ માલીકીની ખેતીની જમીન ઉપર બંધાયેલ સુચિત સોસાયટીને રેગ્યુલર કરવાનો સરકારનો નિર્ણય છે. તે કામમાં ગતી આપવા અને વસાહતીઓને અધિકાર આપવા તેમજ સ્વયંભુ રામનાથ મહાદેવના મંદિરનું કામ કોન્ટ્રાકટરના કારણે અટકેલ છે તે કામ પૂર્ણ કરવા જરૂરી ગ્રાન્ટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવી તે કામ કોર્પોરેશન હસ્તક સોંપવાની રજુઆત ગોવિંદભાઇ પટેલે કરેલ.

(3:20 pm IST)