Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અંગ્રેજી ભવનના છાત્રોના પ્રશ્નોની એનએસયુઆઈની રજૂઆત

 રાજકોટઃ જુલાઈ-૨૦૨૧માં લેવાયેલ સેમેસ્ટર-૪ (અંગ્રેજી)ની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના જ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને બે વષય ઈંગ્લીશ લેંગ્વેજ ટીચીંગ અને ઈન્ડીયન પોએટીકસમાં પરીક્ષકો દ્વારા ૨૮ કે ૩૦ જેવા એવરેજ ગુણ આપી દેવામાં આવતા ભોગ બનેલા કેટલાક વિદ્યાર્થીઓએ એનએસયુઆઈના રાજકોટ જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતને રજૂઆત કરી હતી. એન.એસ.યુ.આઈ.ના રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી રોહિતસિંહ રાજપુતની આગેવાની હેઠળ કુલપતિ શ્રી પેથાણીને આવેદનપત્ર આપવામાં અભિરાજ તલાટીયા, મીત પટેલ, મોહીલ ડવ, પાર્થ બગડા, જીત સોની, દેવકરણ આહીર, હર્ષ આશર સહિત રજૂઆતમાં જોડાયા હતા.

(3:52 pm IST)