Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જયુબેલી શાકમાર્કેટના વેપારી તથા લારી ધરાવતા વેપારીઓ સહિત ૧૬૦ લોકોને વેકસીનેશન કરાવાયું

રાજકોટઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ફેરીયા, કરીયાણાના તથા શાકભાજીના વેપારીઓનેવેકસીનેશન કરાવવા માટે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા એડીવીઝન પોલીસ મથકના પી.આઇ.સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, પી.એસ.આઇ. સી.પી.રાઠોડ, ટી.ડી.ચુડાસમા સહિતના સ્ટાફે એડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી હોટેલ પ્લેટીનસ, હોટલ ઠાકર, હોટલ ભાભા વગેરે હોટલના સ્ટાફ તથા નાના મોટા વેપારીઓ અનેજયુબેલી શાકમાર્કેટના વેપારીઓ તથા ફ્રુટની લારી ધરાવતા વેપારીઓ સહિત ૧૬૦ જેટલા સુપર સ્પ્રપ્રેડરોને વેકશીનેશન કરાવી જાગૃત કરવામાં આવ્યા હતા.

(2:57 pm IST)