Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન

સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળના આધ્યસ્થાપક એવા સ્વ. મુળવંતભાઇ દોમડીયાની ૧૬ મી પૂણ્યતીથી નિમિતે રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમમાં વૃધ્ધ માતાઓને ભોજન કરાવવામાં આવ્યુ હતુ. સાથે ૧૦૦ જરૂરતમંદ પરિવારોને ૧૮ વસ્તુઓની અનાજ કીટ અપાઇ હતી. સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા રમેશભાઇ દોમડીયા, મયુરભાઇ મહેતા, સંજયભાઇ છડીયા, ભરતભાઇ કોઠારી, નીલેશભાઇ શાહ, વિજયભાઇ વોરા, હીમાંશુભાઇ પારેખ, કિશોરભાઇ દોમડીયા, નીશાંતભાઇ દોમડીયા, અશોકભાઇ વોરા, મહેન્દ્રભાઇ વડગામા, જયશ્રીબેન દોમડીયા, હેમાબેન મોદી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:58 pm IST)