Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

શાપર-વેરાવળ આનંદી આશ્રમ ખાતે જય સરદાર ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં ચેરમેન શ્રી નરેશભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિતે જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આનંદી આશ્રમ ર૭ નેશનલ હાઇવે શાપર (વેરાવળ) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે શાપર- વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનનાં ચેરમેન શ્રી રમેશભાઇ ટીલાળા, સેક્રેટરી શ્રી વિનુભાઇ ધડુક, અશોકભાઇ ટીલવા, ધીરૂભાઇ ધાબલીયા તેમજ ફાલ્કન ગ્રુપનાં ડીરેકટર હસુભાઇ સુવાગીયા, આનંદી આશ્રમનાં મહંત શ્રી મસ્તરામબાપુની ઉપસ્થિતીમાં જય સરદાર યુવા ગ્રુપનાં મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ, જય સરદાર યુવા ગ્રુપનાં મિત્રોએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કરેલ હતો.

(3:29 pm IST)