Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

આજી-૩ ડેમના હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

રાજકોટ : અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેના આજી-૩ ડેમની હેઠવાસમાં આવેલા ખજુરડી થોરીયાળી અને મોટા ખીજડીયા, ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીમ્બડી તથા ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના અને દેડકદડ ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

(5:53 pm IST)