Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દિપાવલી પર્વમાં રાજકોટ યાર્ડ તા. ૧૩ થી ૧૮ સુધી બંધ રહેશે

શાકભાજી વિભાગ તા. ૧પ થી ૧૮, ડુંગળી વિભાગ ૧૪ થી ૧૮ અને ઘાસચારા વિભાગ તા. ૧૪ થી ૧૭ સુધી બંધ રહેશે

રાજકોટ તા. ૧૧ :.. દિપોત્સવી તહેવાર અનુસંધાને રાજકોટ (બેડી) યાર્ડ તા. ૧૩-૧૧ થી ૧૮-૧૧ સુધી બંધ રહેનાર હોય તા. ૧ર-૧૧ ને ગુરૂવાર સવારના ૮ વાગ્યાથી તા. ૧૮-૧૧ બુધવાર રાત્રીના ૧૦ વાગ્યા સુધી તમામ જણસીઓની આવકો  બંધ કરવામાં આવેલ છે. તેમજ સબ યાર્ડ (જુનુ યાર્ડ) માં શાકભાજી વિભાગ તા. ૧પ થી ૧૮, ડુંગળી વિભાગ તા. ૧૪-૧૧ થી ૧૮-૧૧ સુધી અને ઘાસચારા વિભાગ તા. ૧૪-૧૧ થી ૧૭-૧૧ સુધી બંધ રહેશે. સદરહું દિવસોમાં ખેડૂતોને માલ વેચવા નહિ લાવવા અંતમાં યાર્ડના સેક્રેટરી બી. આર. તેજાણીની યાદીમાં જણાવાયું છે.

(12:46 pm IST)