Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પૂજારા ટેલીકોમના ફલેગશીપ સ્ટોરમાં ગ્રાહકોને નવા અહેસાસ સાથે ખરીદીનો અનુભવ થશે

ગોંડલ રોડ ખાતેના અદ્યતન ફલેગશીપ સ્ટોરમાં નવનિર્માણ : ગ્રાહકો તેમની મનપસંદ પ્રોડકટનો લાઈવ અનુભવ કરી ખરીદી કરી શકશે, મોબાઈલ સહિત સ્માર્ટ ટીવી, સ્માર્ટ ગેજેટસના પણ લાઈવ એકસપીરીયન્સ મળશે : અવનવી ઓફર્સ

રાજકોટ : રાજકોટ સહીત સમગ્ર ગુજરાતના ખ્યાતનામ મોબાઈલ વિક્રેતા પૂજારા ટેલીકોમના અધ્યતન ફ્લેગશીપ સ્ટોરનું ભવ્ય લોન્ચિંગ ગોંડલ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. ગોંડલ રોડ, રાજકોટ ખાતે ૨૦૧૧ થી પુજારા ટેલીકોમનો સ્ટોર કાર્યરત છે, એ જ સ્ટોરનું અધ્યતન ફ્લેગશીપ સ્ટોરમાં નવનિર્માણ કરવામાં આવેલ છે. પુજારા ટેલીકોમનો આ અધ્યતન ફ્લેગશીપ સ્ટોર મોબાઈલફોનને લગતી તમામ ગ્રાહકલક્ષી સુવિધાઓથી સજ્જ છે. અર્વાચીન દેખાવ સાથે આ સ્ટોરમાં ગ્રાહકો એમને મનપસંદ સ્માર્ટફોન, એસેસરીઝ, ગેજેટ્સ અને સ્માર્ટ ટીવી જેવી તમામ પ્રોડકટને લાઈવ ફિલ કરી શકશે.

પૂજારા ટેલીકોમના મેનેજીંગ ડાયરેકટર શ્રી રાહિલ પુજારા, શ્રી દીપકભાઈ ભટ્ટી, શ્રી શૈલેષભાઈ ભટ્ટી સહીત પુજારા ટેલીકોમ કર્મચારીઓ અને ગ્રાહકોની ઉપસ્થિતિમાં પુજારા ફ્લેગશીપ સ્ટોર ગ્રાહકો માટે રજુ કરવામાં આવેલ. આ તકે પૂજારા ટેલીકોમના ડાયરેકટર શ્રી દીપકભાઈ ભટ્ટી એ જણાવ્યું હતું કે શહેરના ગોંડલ રોડ સ્ટોરને શરૂઆતથી જ ગ્રાહકો દ્વારા ખુબ સારો પ્રતિસાદ આપવામાં આવેલ છે. પૂજારા ટેલીકોમના ચેરમેન શ્રી યોગેશભાઈ પૂજારા અને પૂજારા પરિવારનું રાજકોટમાં આવા એક અદ્યતન સ્ટોરનું નિર્માણ કરવાનું એક સ્વપ્ન હતું જે આજે પૂર્ણ થયું છે. આ ફ્લેગશીપ સ્ટોરમાં ગ્રાહકોની મોબાઈલ લક્ષી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે, અમારા તમામ ગ્રાહકો એક નવા અહેસાસ સાથે ખરીદીનો નવો અનુભવ મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ૧૨૦ થી વધુ રીટેલ સ્ટોર સાથે પુજારા ટેલીકોમ કાર્યરત છે. આ ફ્લેગશીપ સ્ટોરની સાથે જ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહનગરોમાં પણ પુજારા ટેલીકોમના સ્ટોરનો શુભારંભ કરવામાં આવેલ હતો. અવનવી ઓફર્સ અને બેસ્ટ સર્વિસ માટે પણ પૂજારા ટેલીકોમ ગ્રાહકોની પ્રથમ પસંદ છે. હાલ દિવાળીના તહેવાર નિમિતે મોબાઈલ ફોન, એસેસરીઝ અને સ્માર્ટ ટીવીની વિવિધ બ્રાંડની પ્રોડકટ્સ પર પૂજારા ટેલીકોમના તમામ સ્ટોર્સમાં અવનવી ઓફર્સ ચાલી રહી હોવાની યાદીમાં જણાવાયુ છે.

(2:43 pm IST)