Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

શહેર ભાજપ અગ્રણી મનોજ મારૂ કોરોના સંક્રમીતઃ હોમ આઇસોલેશનથી સારવાર

લીંબડીમાં પેટા ચુંટણી પ્રચારમાંથી આવ્યા બાદ

રાજકોટ, તા., ૧૨: કોરોના સંક્રમણનો વ્યાપ ફરી વધવા લાગ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપના સંક્રમીત થતા શહેર ભાજપમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે.

મનોજભાઇના જણાવ્યા મુજબ તેઓ પેટા ચુંટણી દરમિયાન લીંબડી ખાતે પ્રચાર માટે ગયા હતા. ત્યાર બાદ તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ અને તેમના પત્ની હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહયા છે. આ દરમિયાન વોકહાર્ટના ડો. સમીર પ્રજાપતી, સાત્વીક હોસ્પીટલનાં ફેફસાના નિષ્ણાંત ધીરેન તન્ના તથા દોશી  હોસ્પીટલનાં ડો. પુરોહીત અને સારથી હોસ્પીટલના ડો. કનેરીયા વગેરે નિષ્ણાંત ડોકટરોની પેનલ તેઓની સારવાર માટે જહેમત ઉઠાવી રહયા છે.

(3:26 pm IST)