Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કિસાન ગોૈશાળા પાસે ખાણમાંથી અજાણ્યા પુરૃષની લાશ મળી

રાજકોટ તા. ૧૨: આજીડેમ ચોકડી નજીક કિસાન ગોૈશાળા પાસે આવેલી ખાણમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં આજીડેમ પોલીસ મથકના મનહરસિંહ અને કલ્પેશભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૃ કરી છે. લાશ ત્રણ-ચાર દિવસથી પડી હોવાનું તારણ નીકળ્યું છે. શરીર ફુલાઇ ગયુ છે અને પગના ભાગે માછલાઓએ બટકા ભર્યા હોય તેવું જણાય છે. મૃતક પાસેથી એક આધાર કાર્ડ મળ્યું છે. જેમાં ભરતસિંહ માનસિંહ કામલીયા લખેલુ છે.  જો કે મૃતકનું જ આ કાર્ડ છે કે કેમ? તે નક્કી થઇ શકયું નથી. પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. મૃતક વિશે કોઇ માહિતી હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો. ન્હાવા પડતાં ડૂબી જવાથી મોત થયું કે આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ થઇ રહી છે.

(3:40 pm IST)