Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

તુલસી વિવાહઃ અગિયારસ

તુલસી વિવાહ કરવાથી કન્યાદાનનું ફળ મળે છે. ઇન્દ્રનો ગર્વ ઉતારવા ભગવાન શંકરે જાલંધરને ઉત્પન્ન કર્યો, પરંતુ સવળુ કરતા અવળુ થયુ તે દેવો ને જ ભારે પડી ગયો. જાલંધર પોતાની પત્નિ વૃંદાની શીલ શકિતના પ્રભાવથી અજય અમર રહયો હતો. તેને હરાવવા માટે જાલંધરરણ ભૂમિમાં હતો. તે સમયે વિષ્ણુ ભગવાને જાલંધરનું રૂપ લઇ મહા સતિ વૃંદા પાસે ગયા હતા. તેમણે વૃંદાના ભોળપણનો લાભ ઉઠાવીને તેનો શીલ ભંગ કર્યો. સતી વૃંદા જયારે કપટ સમજી ગઇ ત્યારે તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તુ પથ્થર થઇ ને પડઃ વિષ્ણુએ સામે શાપ આપતા કહ્યું જો હું પથ્થર થઇને પડીશ તો તારે વનસ્પતિ થવુ પડશે. ત્યારપછી વૃંદાએ જયારે ભગવાનને ઓળખ્યા ત્યારે તે પસ્તાવો કરી ભગવાને નમી પડી ભગવાને કહયું વૃંદા હુ તને તરછોડીશ નહિ. આજથી હું તારા વિના ભોજન નહિ લવ અને બીજા જન્મે તને મારી પટરાણી બનાવીશ. ત્યારબાદ ભગવાન શાલીગ્રામ કાળો પત્થર થયા અને વૃંદા વનસ્પતી તુલસી થયા. એટલે ભગવાનના નૈવૈદ્યમાં તુલસીપત્ર હોવા જ જોઇએ, નહિ તો તેઓ પ્રસાદ આરોગતા નથી અને બીજે જન્મે શ્રી વિષ્ણુ રામ બન્યા અને વૃંદા સીતા બન્યાં આજ દિવસથી શુંભ માંગલીક કાર્ય કામની શરૂઆત થાય છે.

શાસ્ત્રી બટુક મહારાજ

ગામઃ કાળીપાટ,

શ્રી સ્વામીનારાયણ મંદિરના પુજારી, મો. ૯૮૯૮૨ ૬૫૯૮૦

(3:03 pm IST)