Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પાળ ગામે સોમવારે જાજરમાન તુલસી વિવાહ : ઠાકોરજીની જાન હેલીકોપ્ટરમાં

શ્રી નકલંક મંદિર સંત આંબેવપીરના આંગણે મંગલ અવસર : લાપાસરીના લાભુભાઇ જળુ કન્યાદાનનો લ્હાવો લેશે : પૂર્વ સંધ્યાએ ભવ્ય લોકડાયરો

રાજકોટ તા. ૧૨ : પાળ ગામે પ્રગટ પિરાણું સંત શ્રી આંબેવ પીર બાપાના આંગણે તા. ૧૫ ના સોમવારે જાજરમાન તુલસી વિવાહનું આયોજન થયુ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે તા. ૧૫ ના સોમવારે ઠાકોરજી અને તુલસીજીના વિવાહનો મંગલ અવસર નિરધારીત કરાયો છે. જેમાં ઠાકોરજી હેલીકોપ્ટરમાં બેસી લાપાસરી ગામે પરણવા જશે. રજવાડી ઘોડા, હાથી તેમજ બળદગાડા અને  બેન્ડની સુરાવલીઓ આકર્ષણ જમાવશે. કન્યાદાનનો લ્હાવો લાપાસરીના શ્રી લાભુભાઇ મેરામભાઇ જળુ (આહીર) લેશે.

માંગલિક પ્રસંગોમાં તા. ૧૪ ના રવિવારે સવારે ૧૦ વાગ્યે મંડપ મુહૂર્ત, સાંજે ૪ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૮ વાગ્યે ફુલેકુ યોજવામાં આવશે. બાદમાં રાત્રે ૯ વાગ્યે લોકડાયરો રાખેલ છે. જેમાં ભોજાભાઇ ભરવાડ, આકાશ નવડીયા, ભુમિબેન આહીર અને સંગીતવૃંદ ભાગ લેશે.

જયારે તા. ૧૫ ના સોમવારે બપોરે ૨ વાગ્યે જાન લાપાસરી લાભુભાઇ જળુને ત્યાં માંડવે જવા પ્રયાણ કરશે.

પાળ ગામે ઠાકર મંદિર તેમજ સંત આંબેવ પીરની સમાધીના જીર્ણોધ્યારનું આયોજન થયુ હોય સાથે મંગલ તુલસી વિવાહ યોજવામાં આવતા ભાવિકો ભકતોનો ઉત્સાહ બેવડાયો છે.

સમગ્ર આયોજનને લઇને પાળ અને લાપાસરી ગામોમાં અનેરો ઉમંગ છવાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહંતશ્રી ટીડા ભગત, રણજીતભાઇ ચાવડીયા ભગત (મો.૯૯૯૮૭ ૪૪૨૬૪), જગદીશભાઇ ગંગદાસભાઇ રામાણી, અશોકભાઇ ચાવડીયા ભગત (મો.૯૮૨૫૨ ૧૧૫૦૨), નિલેષભાઇ ચાવડીયા ભગત, રમેશભાઇ ચાવડીયા ભગત (મો.૯૫૮૬૧ ૩૩૦૩૩), બાબાભાઇ ચાવડીયા ભગત, કેતનભાઇ ચાવડીયા ભગત, મહેશભાઇ ચાવડીયા ભગત, રાજુભાઇ બચુભાઇ ચાવડીયા, શ્યામભાઇ ચાવડીયા ભગત, વિક્રમભાઇ ચાવડીયા ભગત, લાભુભાઇ જળુ (લાપાસરી), નરેશભાઇ ચાવડીયા ભગત નજરે પડે છે.

(3:11 pm IST)